ભાગ ૭: નમસ્કાર મહામંત્ર - ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ
આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર ભણવા અને ગણવાની પાત્રતા વિશે જોયું….
આ ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર - ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ વિશે જોઇએ…
ઉચ્ચાર અંગે સૂચનો:
- જોડિયા અક્ષરો બોલતી વખતે હંમેશા એ ખ્યાલ રાખવો કે જોડિયા અક્ષર પર ભાર ન આપતા તેની પહેલાના અક્ષર ઉપર ભાર આપવો.
-
દા.ત. ’સવ્વ’ અહીં ’વ્વ’ ઉપર ભાર ન આપવો પણ ’સ’ ઉપર ભાર આપવો. ’પાવપ્પણાસણો’ માં ‘પ્પ’ ની પહેલાના ’વ’ ઉપર ભાર આપવો.
-
”સાહૂણં” માં ’હૂ’ દીર્ઘ હોવાથી લંબાવીને બોલવો.
- આ સૂત્રમાં નવ પદો છે. પણ સંપદા (વાક્યો) આઠ છે. કેમ કે છેલ્લા બે પદોનું એક જ વાક્ય બને છે. આથી એ છેલ્લા બે પદો સાથે જ બોલવા.
હવે પછીના ભાગમાં આપણે સંપદા એટલે શું? એ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶