ભાગ ૪: નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ
આગળના ભાગમાં આપણે નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર કેમ છે એ વિશે જોયું…
હવે આગળ,
- આપણા ધર્મ શાસ્ત્રોમાં ૐ નું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે નવકારમંત્ર સર્વ મંત્રરત્નોની ઉત્પતિનું સ્થાન છે એટલે કે આપણી આર્યભૂમિમાં આજે જે પ્રભાવશાલી મંત્રો જોવા મળે છે તે બધાયે નમસ્કાર મહામંત્રમાંથી ઉદભવેલા છે.
- ૐ કાર અથવા પ્રણવમંત્ર કે જે જિનશાસનમાં અતિ પ્રસિધ્ધ્ છે અને જેની ઉપાસના સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં થાય છે.
- આ ૐકારની ઉત્પતિ પણ નવકાર મંત્રમાંથી થયેલી છે એટલે જ કહેવાનું છે કે,
पंचफ्खर निप्पण्णो ओंकारो पंच परमिट्ठी ।।
- અર્થાત્ ૐકાર મંત્ર પંચ પરમેષ્ઠિ સ્વરૂપ છે.
કારણ
-
ૐ = ઓમ્ = અ + અ + આ + ઉ + મ્
- અ = અરિહંત
- અ = અશરીર (સિધ્ધ)
- આ = આચાર્ય
- ઉ = ઉપાધ્યાય
- મ = મુનિ
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶