🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૦(૨/૨): શ્રી નમસ્કાર મહામંત્રના પદોમાં નમો

દરેક વખતે નમો નમો બોલવાથી શું ફાયદો?

  • દરેક વખતે નમો નમો બોલો એટલે ન​વું ન​વું પુણ્ય ઉપાર્જન થાય છે.
  • પુણ્ય કર્મ કરતા પુણ્યની અનુમોદના ચઢી જાય છે.
  • પુણ્ય કર્મ ૫-૧૦ મીનીટ થાય​, અમુક વખત જ થાય તેથી વધારે ના થાય​.
  • પણ અનુમોદના તો જેટલી કર​વી હોય ત્યાં સુધી થાય છે.

જેના પ્રત્યે પ્રીતિ હોય તેનું નામ કેટલી વાર બોલાય છે? કારણ કે તે વખતે મનમાં ન​વા ન​વા ભાવ આવે છે.

  • આદર એવી ચીજ છે કે તેનું નામ વારંવાર બોલ્યા કરે છે.
  • ઘણા કહે છે મારા પિતાશ્રી આમ કહેતા હતા, મારા પિતાશ્રી આમ કરતાં હતાં,
  • અહીં શ્રી નવકારમાં પણ બધી વ્યક્તિ પૂજ્ય છે, બધા ઉપર આદર છે, તેનું સૂચક વારંવાર નમો પદ છે.
  • એક વાર નમો બોલો અને વારંવાર નમો બોલો એ કેટલો બધો આદર બતાવે છે, જેટલી વાર નમો બોલો તેટલી વાર ન​વું પુણ્ય બંધાય છે.
  • આપણે અગાઉ ના ભાગ માં શાલિભદ્રે ખીર વહોરાવી તેનું દ્રષ્ટાંત જોઇ ગયા છીએ.
  • તેમાં ખીર વહોરાવવાનું કાર્ય તો ૫ મીનીટનું હશે પણ પછી અનુમોદનાના જોરે પુણ્યના થોક ઉપાર્જન કર્યા છે.
  • પુણ્યકર્મ કરો અને અનુમોદના ન કરો તો તે પુણ્યાનુબંધી પુણ્ય ન બને, અનુબંધ ન પડે, તે પુણ્ય સંસ્કાર ઉભા ન કરે.

નમો માં દ્ર​વ્યનમસ્કાર અને ભાવનમસ્કાર હોય છે.

  • દ્ર​વ્યનમસ્કારમાં શરીર-ઇન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે.
  • ભાવનમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી તેમાં મનોગુપ્તિ પણ રહેલી છે.
  • નમો ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સીવાય કશું ઉચ્ચારણ ન હોવાથી તેમાં વચનગુપ્તિ પણ રહેલી છે.
  • આમ, ત્રણે પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે.

  • નમો માં નમ​વાનો-નમનનો ભાવ છે.
  • નમન એટલે ન​-મન : મન પોતાના સાંસારિક ભાવોમાં ન રહે, તે ન​-મન એટલે, નિર્વિકલ્પ દશા.
  • મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય ત્યારે નમન બને છે. નમો નું આ રહસ્ય છે.



શેર કર​વા નીચે ક્લિક કરો