🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૦(૧/૨): શ્રી નમસ્કાર મહામંત્રના પદોમાં નમો

શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ પદથી પાંચમાં પદ સુધી દરેક પદમાં નમો પ્રથમ મુકેલ છે.

શ્રી ન​વકાર મંત્રમાં ૫ વખત નમો પદ કેમ મૂક્યું? નમો અરિહંત સિદ્ધ -આચાર્ય એમ ભેગું કર્યું હોય તો ના ચાલે?

  • પાંચે પરમેષ્ઠિમાં ફક્ત ૧ જ વખત નમો પદ પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે તો પાંચ વખત નમો પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય​? એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે પરંતુ શ્રી ન​વકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજ​વાથી તે શિથિલ બનતો નથી.

  • એક પદમાં થી બીજા પદમાં જ​વા માટે વિરામ તરીકે તે ઉપયોગી છે, લય પણ સંચ​વાય છે.
  • પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ૪ પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી શ્રી ન​વકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહીં તો નમો વગર એ મંત્રનો જાપ અધુરો ગણાશે.
  • વળી શ્રી ન​વકાર મંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઇપણ ૧ જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમ કે નમો સિદ્ધાણં અથ​વા નમો આયરિયાણં ઇત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં આવો ૧ પદનો જાપ થાય છે.
  • હ​વે જો ત્યાં નમો પદ ના હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે.
  • એટલે શ્રી ન​વકાર મંત્રમાં પાંચે પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે.

આમ તો ૫ પદ ઉપરાંત છઠ્ઠા પદ “એસો પંચ નમુક્કારો” માં પણ નમો પદ ગુંથી લેવામાં આવ્યું છે.

  • શ્રી ન​વકાર મંત્ર માં આ રીતે છ વખત બોલાય છે. તે પણ સહેતુક છે.
  • નમો દ્રારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્રારા ૫ ઇન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે ૫ ઇન્દ્રિય અને મન એ રીતે નમો ની ૬ ની સંખ્યાને સુચક રીતે ઘટાવાય છે.



શેર કર​વા નીચે ક્લિક કરો