🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩: નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર છે.

આગળના ભાગમાં આપણે ન​વકાર મંત્રના દરેક પદોનો અર્થ વિશે જોયું…

હ​વે આગળ​,

નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર છે.

સિધ્ધ મંત્ર શા માટે?

  • એ અનાદિ અનંત છે,
  • એના સ્મરણથી અનેક સિધ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે,
  • અષ્ટસિધ્ધિ અને નવનિધિ પ્રગટ થાય છે, એ ચૌદ પૂર્વનો સાર છે
  • એક એક અક્ષરના રટણ માત્રથી અડસઠ તીર્થની સ્પર્શનાનો લાભ મળે છે,
  • એ અનંત જ્ઞાન અને ગુણોનો રત્નાકર છે.

શાશ્વતમંત્ર શા માટે?

  • આ મંત્રનો ક્યારે પણ નાશ થવાનો નથી
  • અનંત કાળચક્રના પ્રવાહની સાથે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી કાળમાં અનંતી ચોવીસીઓની સાથે અનંતા તીર્થંકરના શાસનકાળ દરમ્યાન નવકારમંત્રના પદ કે અક્ષરમાં કોઇ જ ફેરફાર થયો નથી.

મહામંત્ર શા માટે?

  • એ સર્વ મંત્રનો સાર છે,
  • વિધ્નોને હરનાર છે,
  • એનો મહિમા અપાર છે.
  • એ સર્વે મંત્રોમાં શિરોમણી અને મંત્રાધિરાજ છે,
  • સિધ્ધ પુરૂષોથી સાક્ષાત્કાર થયેલ છે.

હ​વે પછીના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો