🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૯: શ્રી ન​વકાર મંત્રના જાપથી પાપક્ષય​:

  • એક અક્ષરના જાપથી ૭ સાગરોપમના પાપોનો ક્ષય થાય.
  • પ્રથમ પદના જાપથી ૫૦ સાગરોપમના પાપોનો ક્ષય થાય.
  • પ્રથમ પદમાં ૭ અક્ષર તેથી ૭x૭‌ = ૪૯ સાગરોપમ. અને આખા પદના સમુચ્ચયનો ૧ સાગરોપમ ‌ ૪૯+૧‌ = ૫૦ સાગરોપમ.
  • એક નવકાર મહામંત્ર ગણવાથી પ૦૦ સાગરોપમના પાપોનો ક્ષય થાય.
  • શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષરો છે. એક અક્ષરના જાપથી ૭ x ૬૮‌ = ૪૭૬ સાગરોપમ;
  • નવકાર મહામંત્રના-૯ પદોના ૯ સાગરોપમ, ૮ સંપદાના ૮ સાગરોપમ, ૭ ગુરૂ અક્ષરના ૭ સાગરોપમ‌: ૯+૮+૭ ‌= ૨૪ કુલ.
  • આથી (૪૭૬+૨૪) ‌ ૫૦૦ સાગરોપમ

  • એક નવકારવાળી ‌= ૧૦૮ નવકાર ગણવાથી પ૪,૦૦૦ સાગરોપમના પાપોનો ક્ષય થાય. ૫૦૦x૧૦૮‌ = ૫૪,૦૦૦ સાગરોપમ.
  • ૬૮ સંખ્યાનું ગણિતનું વિશ્લેષણ અદ્ભુત આધ્યાત્મિક ફળ સૂચવે છે.
  • ૬ + ૮ ‌= ૧૪ શ્રી નમસ્કાર મહામંત્ર ૧૪ પૂર્વનો સાર છે
  • ૬ x ૮‌ = ૪૮ શ્રી નમસ્કાર મહામંત્રને યોગ્ય રીતે આરાધનાર, આત્માઓ વિશિષ્ટ ઉચ્ચ કોટિની ૪૮ લબ્ધિઓ પણ મેળવે છે.
  • ૮ / ૬ ‌= ૧ ભાગફળ, શેષ-૨. એટલે ૮ કર્મોથી બંધાયેલ આત્મા જો ૬ વ્રતનું પાલન કરે તો ફળ તરીકે વિશુદ્ધ આત્મા કર્મરહિત બની જાય અને મોક્ષ ન મળે ત્યાં સુધી શેષ તરીકે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મને ટકાવી શકે.

વિધી પૂર્વક નવલાખ નવકાર:

  • શ્રી નવકારના જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરી છે. જેમ સો, હજાર, લાખ, દશલાખ અને કરોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ-તેમ સંસારી માયાવાળા જીવને પરમ આનંદ થાય.

  • તેમ જીવનમાં રોજની ૩ કે ૫ માળાના પણ સરવાળાથી જીવનમાં આટલા હજાર-લાખ નવકાર ગણ્યા તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે.

  • વિધી પૂર્વકના નવલાખ નવકારનો જાપ નરક નિવારે એટલે નવકારના જાપથી નરકમાં જવાના પરિણામો-રૌદ્રધ્યાન, તેમજ તિર્યંચગતિમાં જવાનું કારણ આર્તધ્યાન દૂર થઈ જાય, પુદગ​લના તીવ્ર રાગથી આર્તધ્યાન રૌદ્રધ્યાન આવે છે, પણ નવકાર ના જાપથી પુદગ​લનો તીવ્રરાગ ઘટે.
  • આથી આર્ત-રૌદ્રધ્યાન જાય.પરિણામે નરક-ગતિનો બંધ ન પડે.

નવલાખ નવકાર કેટલા વર્ષે પૂર્ણ થાય

  • દરરોજ ૧ બાંધી નવકારવાળી ગણવાથી ૨૫ વર્ષે પૂર્ણ થાય.
  • દરરોજ ૫ બાંધી નવકારવાળી ગણવાથી ૫ વર્ષે પૂર્ણ થાય છે.
  • દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવાથી ૨ વર્ષ અને છ મહિનામાં પૂર્ણ થાય.
  • દરરોજ ૨૫ બાંધી નવકારવાળી ગણવાથી ૧ વર્ષ પૂર્ણ થાય.
  • દરરોજ ૫૦ નવકારવાળી ગણવાથી ૬ મહિનામાં પૂર્ણ થાય.



શેર કર​વા નીચે ક્લિક કરો