🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૮: શ્રી નમસ્કાર મંત્રના પ્રભાવની કથા

  • શ્રેણિક રાજા એક ચિત્રશાળા બંધાવતા હતા, તેમાં દેશ-વિદેશના અનેક ચિત્રકારો કામ કરી રહ્યાં હતા.
  • પરંતુ તેનો મુખ્ય દર​વાજો ઘણી કાળજીથી બાંધ​વા છતા તૂટી પડતો હતો. આથી રાજા મુંઝાયા, તેમણે જયોતિષીઓ ની સલાહ લીધી, જ્યોતિષીઓ એ ૩૨ લક્ષણાં બાળકનું બલિદાન આપ​વાની સલાહ​ આપી.
  • પરિણામે નગરમાં ઢંઢેરો પીટાયો, કોઇ પોતાનો ૩૨ લક્ષણો બાળક આપે તો ભારોભાર સોનુ તોલી આપ​વાની જાહેરાત થઇ.
  • પણ આવા કામ માટે કોઇ પોતાના બાળકની બલિ દેવા તૈયાર ન થયું.

  • આખરે એક​ ગરીબ બ્રાહ્મણ કુટુંબ પોતાના પૂત્રો માંથી અમરકુમારને બલિ દેવા માટે તૈયારી બતાવી.
  • જ્યારે અમરકુમારને ખબર પડી ત્યારે તે ખુબ જ રડ​વા લાગ્યો અને માતા-પિતા ને બલિ ન દેવા માટેની વિનંતી કરી, પરંતુ માતાને તેના ઉપર ઘણો જ દ્રેષ હતો એટલે આખરે તેમણે રાજસેવકોને સોંપ્યો.

  • તેઓ રાજ મહેલમાં લઇ ગયા અને તેની ભારોભાર સોનુ બ્રાહ્મણ દંપતિને આપ્યું.
  • તેઓ ખુબ ખુશ થઇ ગયા. યોગ્ય મુર્હતે તેનું બલિદાન આપવાની તૈયારી થઇ, યજ્ઞકુંડમાં અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ભભુકવા લાગી, બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર શરુ કર્યા.

  • અમરકુમાર વિચારે છે, “હવે મારે શું કર​વું? હમણાં મને હોમી દેવામાં આવશે.”
  • એવા માં તેને જૈન મૂનિએ શિખ​વેલો શ્રી નમસ્કાર મંત્ર યાદ આવ્યો અને તે અત્યંત શ્રદ્ધાથી સ્મરણ કર​વા લાગ્યો અને તે સ્મરણમાં લીન થઇ ધ્યાનસ્થ બની ગયો.
  • પુરોહિતોએ “ૐ સ્વાહા: ૐ સ્વાહા:” કહી, તેને ઉઠાવી અગ્નિકુંડમાં પધરાવ્યો પણ તે જ વખતે અગ્નિજ્વાળાઓ શાંત થઇ ગઇ અને અમરકુમાર એક યોગી જેવો દેખાવા લાગ્યો, તેની કાયાને ડાઘ સરખો પણ લાગ્યો ન હતો. શ્રી નમસ્કાર મંત્રનો કેવો અજબ પ્રભાવ!

  • આ વખતે રાજા પોતાના સિંહાસન પરથી ઉથલી પડ્યા, બધા બ્રાહ્મણો ભોંય ભેગા થઇ ગયા.
  • રાજ્યસભામાં બધા કહેવા લાગ્યા, આ કોઇ મહાપુરૂષ લાગે છે.
  • અમરકુમારે નમસ્કાર મંત્ર ભણી પાણીના છાંટડા રાજા અને બ્રાહ્મણો ઉપર નાખ્યાં અને તેઓ હોશમાં આવ્યા.
  • રાજાએ કહ્યું, “હે બ્રહ્મકુમાર​, તું આ રાજ્ય ગ્રહણ કર​.”
  • અમરકુમાર: “હું તો હ​વે ચારિત્ર ગ્રહણ કર​વા ઇચ્છું છું અને તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું તથા પરમપદ ની પ્રાપ્તિ કરી.”

  • શ્રી ન​વકાર મંત્રના પ્રભાવથી અને અમરકુમારની શ્રદ્ધાથી તેમની બલિ થતા બચી ગઇ અને તેણે પરમપદ પ્રાપ્ત કર્યું.
  • આ રીતે જો આપણે પણ શ્રી ન​વકાર મંત્રની શ્રદ્ધાપૂર્વક સાધના કરીએ તો તેનું અચિંત્ય ફળ મળે.



શેર કર​વા નીચે ક્લિક કરો