🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૭: શ્રી નવકાર મંત્ર ક્યારે ગણાય​?

  • શ્રી નવકાર મંત્ર પોતાના સ્વાર્થ માટે ન ગણાય​.
  • મારો પ્રતિસ્પર્ધી નબળો પડે તે માટે ન ગણાય​. vરોગ દૂર​ કર​વા માટે પણ ન ગણાય​. કારણ કે રોગ દૂર કરીને ભોગ માટે ઇચ્છતા હોય તો ન ગણાય પરંતુ રોગ દૂર કરી શરીરનો ઉપયોગ ધર્મ પ્રવૃતિ ને વેગ આપવા માટે કરવો હોય તો ગણાય​.
  • જીવને સમાધિ આપવા માટે ગણી શકાય​.
  • ચિત્ત આપતિમાં દીન ન બને અને સંપતિમાં લીન ન બને તે માટે ન​વકાર ગણી શકાય​.
  • કોઇપણ માંગલિક કાર્ય કરતા પહેલા શ્રી નવકાર ગણીએ છીએ. જેમ કે, પેઢીએ જતા પહેલાં શ્રી નવકાર એટલા માટે ગણ​વાનો કે કમાવું એ પાપ છે પરંતુ સંસાર માં હોવાથી કમાવા જ​વું પડે તો હવે અનીતિ વગેરે કોઇ પાપ ન થાય​.
  • જમ્યા પહેલા શ્રી નવકાર એટલા માટે ગણવાનો કે આહારમાં આસક્તિ વળગી ન જાય​.
  • ઉઠતા શ્રી નવકાર એટલા માટે ગણવાનો ઉઠયા પછી મારાથી કંઇ ખોટું ન થાય​.
  • સુતા પહેલા શ્રી નવકાર એટલા માટે ગણ​વાનો કે મૃત્યુ પામું તો મારી સદગતિ થાય​.
  • ખરેખર તો શ્રી નવકાર પાસે દુન્વયી સમૃદ્ધિની માંગણી કર​વી તે તેનો જે અખૂટ સુખ આપવાનો ભાવ છે, તેનો ઇન્કાર કરવા સમાન છે.

શ્રી ન​વકાર કોને અપાય​?

  • “જેનો સંસારનો લગાવ ઢીલો નથી પડ્યો” તેને જ્ઞાની પુરુષોએ શ્રી ન​વકાર પણ આપ​વાની ના પાડી એટલે કે ઉપધાન કરે તેને જ શ્રી ન​વકાર આપ​વાનો.
  • અને ઉપધાન કરતી વખતે બાહેંધરી લેવામાં આવે છે કે હું સંસારનો લગાવ નહીં રાખુ પછી જ સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવે છે.
  • સમ્યક્ત્વ ઉચ્ચરે તેને જ ઉપધાન કરાવામાં આવે છે.
  • સમ્યકત્વ ઉચ્ચર​વું એટલે સંસારનો લગાવ હું નહીં રાખું એવી બાહેંધરી.
  • “ગીતાર્થોએ જેવો બાળક સમજણો થશે ત્યારે તે ઉપધાન કરી લેશે” એવો વિશ્વાસ​ મૂકી શ્રી નવકાર સાંભળ​વાની અને કંઠસ્થ કર​વાની છુટ આપી છે પરંતુ જેણે ઉપધાન નથી કર્યા તેના માથે એક મોટું દેવું છે.



શેર કર​વા નીચે ક્લિક કરો