🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૬ (૪/૪): નવકાર અક્ષરધ્યાન પ્રયોગ

જૈન શાસ્ત્ર પ્રમાણે દ્રવ્ય પ્રાણાયામ કરતા ભાવ પ્રાણાયામનું મહત્ત્વ છે કેમ કે ગાથાના પાદને બદલે પ્રાણવાયુના લેવા મુકવાની ગણતરીમાં મન પડે, તો ગાથા-પાદ ઉપર મન લાગે નહીં એટલે કે ભાવ પ્રાણાયામ સાધ​વો હોય તો દ્રવ્ય પ્રાણાયામ પર જોર ન દેવાય નહિતર દ્રવ્ય પ્રાણ એ બાહ્ય ચીજ હોવાથી બાહ્ય ભાવમાં ભૂલા પડી જવાનું થાય ત્યારે શ્રી નવકાર સ્મરણ એ આંતરિક વસ્તુ છે, આત્મહિતની વસ્તુ છે, એમાં શુદ્ધ હ્રદયે લીન બનવામાં આંતર ભાવ સધાય છે.

  • પહેલાં શ્વાસોશ્વાસની ગતિ વ્યવસ્થિત કરવા માટે જ્યાં કાન ઉપર બીજા અવાજ ના આવે તેવા સ્થાને આંખ ધ્યાનસ્થ રાખીને ટટાર બેસી હાથ જોડીને એકદમ ઝપાટાબંધ શ્વાસ બહાર કાઢવો અને તરત જ પાછો શ્વાસ અંદર ખેંચવો એવું ૫-૭ વાર કર​વું, પછી વ્ય​વસ્થિત રીતે શ્વાસ અને ઉચ્છવાસ ધીમે ધીમે ચાલશે.

  • એ પછી ધ્યાનસ્થ આંખથી અંદરમાં નાભિ અથ​વા હ્રદય ઉપર નજર કર​વી અને નાભિ કે હ્રદયને ધેરા લીલા રંગના કમળ જેવું દેખ​વું. તેમાં વચ્ચે કર્ણિકા અને તેની આસપાસ ૪ દિશા અને ૪ ખૂણામાં એમ ૮ પાંખડી જોવી.
  • હ​વે આ ૯ સ્થાનમાં ન​વકારના ન​વ પદનો એક એક અક્ષર અનુક્રમથી ઉપસાવવાનો છે. પેલા લીલા કમળમાં આ અક્ષર સળગતી ટ્યુબલાઇટ અથવા ચમકદાર મોતીની જેમ ચમક્તા સફેદ ઉપસાવવાના.

  • પહેલાં શ્વાસ એકી સાથે જોશથી બહાર કાઢી નાખી પછી શ્વાસ અંદર લેતાં, પહેલાં કર્ણિકામાં ‘નમો અરિહંતાણં’ પદના અક્ષર પછી અક્ષર શ્વાસની ધારા સાથે ઉપસાવવાના.
  • અર્થાત શ્વાસ ધીરે ધીરે લેવાનું ચાલુ રાખી: “ન….મો….અ….રિ….હં….તા….ણં” ધારવું.

  • આ એટલા સમય સુધી કે શ્વાસ લેવાનું ચાલુ છે.
  • તે છેલ્લો “ણં” અક્ષર ધરાય ત્યાં શ્વાસ લેવાનો પૂરો થાય. કદાચ “ણં” બોલ્યા પછી શ્વાસ હજી સહેલાઇથી વધુ લઇ શકાય તો “ણં” નો ટંકાર એટલો લંબાવવો.

  • અક્ષરની ધારણા એ રીતે, કે વચલી કર્ણિકામાં ક્રમસર એકેક સફેદ અક્ષર જાણે અંદર છૂપાયેલો અદ્રશ્ય હતો, તે હવે ઉપસતો આવે ને દ્રશ્ય બને. એ વખતે કમળની આઠ પાંખડીઓ કોરી ઘેરી લીલી પડી હોય.

  • એ પછી તરત જ શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતાં ઉપરની પાંખડીમાં ‘ન….મો….સિ….દ્ધા….ણં’ એમ અક્ષર ક્રમશ ઉપસતા આવે.
  • આ અક્ષરો ઉપસાઇ જાય અને શ્વાસ બહાર કાઢવાનું પુરું થાય, કદાચ અક્ષર વહેલા પૂરા થઇ જાય તો છેલ્લા “ણં” પર ઠહેરી શ્વાસ કાઢવાનું પુરું કરાય, પણ તે ચાલુ ગતિ એ જ શ્વાસને બહાર નીકળવા દેવાનો.

  • એ પછી તરત જ જમણી બાજુની વચલી પાંખડી પર નજર લઇ જઇ શ્વાસ અંદર લેવાનું શરૂ કરાય, અને સાથે ક્રમશ:
  • ‘ન….મો…. આ….ય….રિ….યા….ણં’ અક્ષર એક પછી એક ઉપસતા આવે.
  • પછી શ્વાસ મૂકતા જતાં ચોથા પદનો ક્રમસર એકેક અક્ષર જોવાનો.
  • એવું સિદ્ધચક્રના ગટાના ક્રમે કમળની બાકીની પાંખડીઓમાં અક્ષર ધારણા કરવી.

  • આ રીતે એક પદ શ્વાસ લેતાં, ને એક પદ શ્વાસ ઉપસતો જોવાનો, ને દરેક શ્વાસ કે ઉચ્છવાસનું કાર્ય તે તે પદના છેલ્લા અક્ષરે પૂર્ણ થાય.
  • એમ એક નવકાર પૂર્ણ થયે તરત જ બીજો નવકાર, એ પૂર્ણ થયે તરત જ ત્રીજો નવકાર…
  • એમાં રોજ અભ્યાસ વધતાં શ્વાસ ઉચ્છવાસની ગતિ ધીમી ધીમી થતી આવે.

  • અહીં ન​વકારની સંખ્યા વધ​વાનો લોભ નથી કરવાનો પરંતુ તેના એકેક અક્ષર ઉપર સ્થિરતા વધારવાની છે, તે પણ નિયમિત શ્વાસ કે ઉચ્છવાસ સાથે.

વધુ માહિતી માટે નીચે આપેલ VIDEO જુવો.




શેર કર​વા નીચે ક્લિક કરો