🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૬ (૩/૪): કરમાળા દ્રારા જાપ​:

કરમાળા એટલે શું?

  • કરમાળા એટલે કરની આંગળીઓના વેઢા.
  • કર એટલે હાથ​, તેની આંગળીઓમાં જે વેઢા હોય છે તેને અમુક રીતે અનુસરવા તેને આવર્ત કહેવામાં આવે છે.
  • આ આવર્તો નંદાવર્ત, શંખાવર્ત વગેરે અનેક પ્રકારના હોય છે. તેમાંથી
    • જમણા હાથે નંદાવર્તના ધોરણે ૧૨ વાર સ્મરણ કર​વું.
    • ડાબા હાથથી શંખાવર્તના ધોરણે ૯ વાર ગણના કર​વી.
  • આ રીતે કુલ ૧૦૮ વાર ગણના થાય છે.
  • આવર્તમાં ૪ આંગળીના ૧૨ વેઢાનો ઉપયોગ થાય છે. આ રીતે ડાબા હાથે શંખાવર્ત અને જમણા હાથે નંદાવર્તની ગણના નીચે પ્રમાણે થાય છે.

નીચે મુજબ જ્યારે હાથની હથેળીને આપણી સન્મુખ રાખીએ ત્યારે

  • 🔴 અંગુઠા પછીની આંગળીને તર્જની,
  • 🔵 તેના પછીની આંગળીને મધ્યમા,
  • 💎 તેના પછીની આંગળીને અનામિકા
  • 🔺 અને છેવટની નાની આંગળીને કનિષ્ઠિકા કહેવામાં આવે છે.

🤚 ડાબા હાથે શંખાવર્ત:

7⃣ 8⃣ 9⃣  
6⃣ 1⃣ 2⃣  
5⃣ 4⃣ 3⃣  
🔴 🔵 💎 🔺

✋ જમણા હાથે નંદાવર્ત:

3⃣ 4⃣ 5⃣ 1⃣2⃣
2⃣ 7⃣ 6⃣ 1⃣1⃣
1⃣ 8⃣ 9⃣ 1⃣0⃣
🔺 💎 🔵 🔴

વધુ માહિતી માટે નીચે આપેલ VIDEO જુવો.

  • જમણા હાથ માં ૧ થી શરુ કરીને ૧૨ સુધી અનુક્રમે ચડીયાતા અંકો ઉપર અંગૂઠો ફેરવતા જવાનો છે. એ રીતે બધા વેઢા ઉપર અંગુઠો ફરી જાય, ત્યારે ૧ આવર્ત થયો ગણાય​.

  • આ રીતે નંદાવર્તમાં ૧૨ ની ગણના થાય ત્યારે ડાબા હાથનો અંગૂઠો ૧ ઉપર મુકાય, બીજી વાર ની ગણના થાય ત્યારે તે અંગુઠો ૨ ઉપર મુકાય, આ રીતે શંખાવર્ત પદ્ધતિથી ૯ ના આંક ઉપર પહોંચતા સ્મરણની સંખ્યા ૧૦૮ થાય છે.




શેર કર​વા નીચે ક્લિક કરો