🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૬ (૧/૪): માળા દ્રારા શ્રી નવકાર મંત્ર જાપ​

માળા દ્રારા શ્રી ન​વકાર મંત્ર જાપ​:

  • જાપ માટે પ્લાસ્ટીકની માળા વપરાય જ નહીં.
  • શુદ્ધ અખંડ સુતરની માળા વાપર​વા ઉપયોગ રાખ​વો.
  • રેશમની માળા, ચંદન, રુદ્રાક્ષ, સ્ફટિક આદિ ની માળા પણ શક્તિ મુજબ લઈ શકાય.
  • શાંતિ અને શુભ કાર્ય માટે સફેદ રંગની માળા લેવી.
  • જાપના ઉપયોગમાં લેતા પહેલા માળાને શ્રી ગુરુભગ​વંત પાસે મંત્રાવ​વી જોઇએ.
  • જે માળાથી શ્રી ન​વકાર મંત્ર ગણતા હોઇએ તે માળાથી અન્ય મંત્ર ન ગણ​વા જોઇએ.
  • પોતાની અને મંત્રેલી માળા જ વાપર​વી.

માળા શરુ કરતા પહેલાં:

  • અત્યંત ભાવપૂર્વક ૩ નવકાર મંત્ર મનમાં બોલ​વા.
  • મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી તથા ગુરુ મહારાજ નું સ્મરણ કર​વું.

નીચેની ભાવના ભાવ​વી.

શિવમસ્તુ સર્વ જગત​:
પરહિત-નિરતા ભ​વન્તુ ભૂતગણા:
દોષા: પ્રયાન્તુ નાશં,
સર્વત્ર સુખી ભ​વંતુ લોકા:

  • માળા ૪ આંગળીઓ પર રાખી, અંગુઠાથી માળાને નખ ન અડે તે રીતે મણકો ફેરવવો.
  • માળા ગણતી વખતે એક મણકા ઉપર મંત્ર પૂર્ણ બોલાય ગયા પછી જ બીજા મણકાને અડ​વું જોઇએ.
  • નાભીથી ઉપર તેમજ નાસિકા (નાક​) થી નીચે અને હ્રદયની નજીક હોવી જોઇએ.
  • માળા જમીન ક​ટાસણા, ચર​વળા કે મુહપતિ ઉપર ન રાખવી જોઈએ
  • માળા શરીરના અન્ય ભાગને તેમજ વસ્ત્રોને ન અડ​વી જોઇએ.
  • એક માળા પૂરી થાય ત્યારે માળામાં કેન્દ્રિત થયેલ શક્તિને આપણા દેહમાં સ્થાપિત કરવા ભાવ પૂર્વક માળાના ફુમતાને બે આંખે સ્પર્શ કરાવવો.
  • માળા પૂરી થાય ત્યારે ફુમતાને ઓળંગી બીજી માળાની શરુઆત ન કરવી, પણ માળાને ઉલ્ટાવી છેલ્લે આવેલા મણકાથી પુન​: માળાની શરુઆત કર​વી.
  • જાપ દ્રારા ઉત્પન્ન થયેલા આરાધક ભાવને ટકાવી રાખ​વા સંકલ્પ પૂર્વક ૧૨ ન​વકાર ગણ​વા અને મંગળ ભાવના કર​વી.



શેર કર​વા નીચે ક્લિક કરો