ભાગ ૨૩: શ્રી નવકાર સ્વરુપની અનુભૂતિ
ષડાવશ્યકમય શ્રી નવકાર સ્વરુપની અનુભૂતિ માટેની સંપૂર્ણ પ્રક્રિયા:
-
સામાયિક નમો વડે થાય છે અર્થાત નમો સામાયિક માટે છે.
- ૧. નમો: સામાયિક આવશ્યક
- ૨. અરિહંતાણં - સિદ્ધાણં : ચતુર્વિશતિસ્તવ આવશ્યક
- ૩. આયરિયાણં - ઉવજ્ઝાયાણં - લોએ સવ્વસાહૂણં: ગુરુવંદન આવશ્યક
- ૪. એસો પંચ નમુક્કારો - સવ્વ પાવપ્પણાસણો: પ્રતિક્રમણ આવશ્યક
- ૫. મંગલાણં ચ સવ્વેસિં: કાયોત્સર્ગ આવશ્યક
- ૬. પઢમં હવઇ મંગલં: પ્રત્યાખ્યાન આવશ્યક
આ બધા આવશ્યક શું સુચવે છે?
- સામાયિક આવશ્યક:
- સમભાવ સ્વરુપ કરવા માટે શ્રાવક-શ્રાવિકા ના જીવનમાં ઘર-વ્યવસાયનો ત્યાગ કરી બે ઘડી સર્વસાવદ્યયોગ છોડવા પૂર્વક સામાયિક કરે છે.
ચતુર્વિશતિસ્તવ આવશ્યક:
- ચોવીસે તીર્થંકર ભગવંતોની સ્તુતિ-પ્રાર્થના-વંદના કરવા તે ચતુર્વિશતિસ્તવ.
ગુરુવંદન આવશ્યક:
- દેવ ગુરુને ભક્તિભાવ પૂર્વક વંદન-પ્રણામ કરવા તે.
પ્રતિક્રમણ આવશ્યક:
- પાપોથી પાછા હઠવાની મનોવૃતિ કેળવવી તે
કાયોત્સર્ગ આવશ્યક:
- કરેલા પાપોના પ્રાયશ્ચિતરુપે કાયાની તમામ ચેષ્ટા રોકીને આત્માને પ્રભુના ધ્યાનમાં એકાગ્ર કરવો તે.
પ્રત્યાખ્યાન આવશ્યક:
-
કરેલા પાપોના પ્રક્ષાલન માટે તથા ફરીથી આવા પાપો કરવાની બુદ્ધિ ઉત્પન્ન ના થાય તે માટે કંઇક અંશે વિરતિધર્મ સ્વીકારવો તે.
- શ્રી નવકાર મંત્રના પ્રથમ પદમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણે પ્રકારના યોગનો સમાવેશ થયેલો છે.
- નમો એ ઇચ્છાયોગનું પ્રતીક છે.
- અરિહં પદ શાસ્ત્રયોગનું પ્રતીક છે.
- તાણં પદ સામર્થ્યયોગનું પ્રતીક છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶