ભાગ ૨૨ (૩/૪): શ્રી નવકાર મંત્રમાં નમો પદ શું સુચવે છે?
- આગળના ભાગમાં આપણે “શરણગમન” અને “દુષ્કૃતગર્હા” વિશે જોયું.
- તો આ ભાગમાં આપણે સુકૃત-અનુમોદના એટલે શું? એ જાણીએ.
સુકૃત-અનુમોદના એટલે
- સારા કૃત્ય ની અનુમોદના
પણ કોના સુકૃતની અનુમોદના કરવાની?
- આપણા અને બીજાના.
- સુકૃતની અનુમોદનાથી, સુકૃત ના ગુણાકાર થાય.
શા માટે સુકૃતની અનુમોદના કરવાની?
શાસ્ત્રમાં સુકૃત અનુમોદના નું દ્રષ્ટાંત:
- શાલીભદ્રે સંગમના ભવમાં એક જ વાર ખીર ભાવપૂર્વક વહોરાવી અને તેના ફળ રૂપે અઢળક ઋદ્ધિના સ્વામી થયા.
- એ જ્યારે નાનપણમાં શેરીમાં રમતો હોય એ વખતે નાના છોકરાઓ મહાત્માને તેડી લાવે, પોતાના ઘરે વહોરવા લઈ જાય, આ પણ સાથે જાય. પોતાની શક્તિ નથી. છતાં મનોરથ કરે, ક્યારે હું પણ મારા ઘરે તેડી જઈશ, વહોરાવીશ?
- સંગમ રોજ મનોરથ કરે છે, ક્યારે સાધુ મહાત્મા પધારે ને હું વહોરાવું.
-
અહીં જુઓ કે એને બે ટાઈમ પોતાને વાપરવાના ફાંફા છે. ભયંકર દરિદ્રતા છે. આખો દિવસ મા મહેનત કરીને રોટલો કમાય છતાં પેટ ભરાતું નથી એવા અંતરાય ઉદયમાં છે. પણ આવી સ્થિતિમાં કેવા ઉત્તમ મનોરથ છે?
- બધાના ઘરેથી લાવેલી વસ્તુઓમાંથી એ ખીર બનાવી. જીંદગીમાં પ્રથમવાર ખાવા મળી છે. છતાં મનોરથ છે કે કોઇક સાધુ મહાત્મા પધારે તો વહોરાવું.
-
ને આજે જ મહાત્મા પધારે છે. માસક્ષમણના તપસ્વી છે. આજે સામગ્રી પણ ઉત્તમ અને મહાત્માનું પાત્ર પણ ઉત્તમ પોતાના ભાવ તો “ઊંચા છે જ”.
- જે કદી પહેલા ચાખી પણ નથી એવી પણ ખીર પોતાના માટે રાખ્યા વગર બધી વહોરાવી દીધી.
- મહાત્મા ગયા પછી એમ થયું કે આજે બેડો પાર થઈ ગયો.
- પછી તો મા એને બીજી વધેલી ખીર આપે છે. પણ એનાથી અજીર્ણ થાય છે.
- પણ આનું મન એક જ કે કેવો સુંદર લાભ મળ્યો સતત આ જ ભાવમાં છે ને એવી અનુમોદના કરી કે પુણ્યના ગુણાકાર થયા ને તે એવા કે તે રાત્રે જ મૃત્યુ પામી ને ભદ્રામાતાની કુક્ષિમાં આવ્યા.
- મનુષ્યજન્મ ને એમાં પણ જન્મતા જ શ્રીમંતાઈ. જન્મતા જ પાર વગરની ઋદ્ધિ ને થોડા મોટા થયા ને દેવતાઈ ઋદ્ધિ, વળી, સાધુના દાનથી મળ્યું એટલે ભોગવવાની મૂર્છા ન જાગી પણ છોડવાની બુદ્ધિ જાગી.
- સત્વ મળ્યું. પૂર્વ ભવમાં સાધુ ભગવંત મળ્યા. તો આ ભવે મહાવીર ભગવાન મળ્યા.
- બધી રીતે પુણ્યના ગુણાકાર થયા.
- શાલીભદ્રના ભવથી અનુત્તર વિમાનમાં ને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે.
આપણે એના કરતા અનેકગણું વહોરાવ્યુ છે છતા પરિણામ કેમ ના આવ્યું?
- આપણે ધર્મક્રિયા એકાગ્રતાપૂર્વક, રુચિપૂર્વક, આદર અને બહુમાનપૂર્વક કરતા નથી. તેની જગ્યાએ પાપની ક્રિયા રસપૂર્વક થાય છે.
- ધર્મક્રિયા કરતા પહેલા તેની વારંવાર ઇચ્છા-ભાવના કરવાની અને કર્યા પછી સુકૃતની અત્યંત અનુમોદના કરવાની.
- આપણા સુકૃતની અનુમોદના મનમાં કરવી અને દુનિયામાં કરીએ તો સુકૃત ના ભાગાકાર થાય. અને બીજાના સુકૃતની અનુમોદના ભરપેટ બધાની સમક્ષ કરવાની.
આપણે પણ આજથી સુકૃતની અનુમોદના કરવાની આદત કેળવીએ. “નમો” પદ ના અર્થ ના સાર વિશે આપણે પછી ના ભાગ મા જોઇશું.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶