🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૨ (૨/૪): શ્રી ન​વકાર મંત્રમાં નમો પદ શું સુચ​વે છે?

આગળના ભાગમાં આપણે “શરણગમન” વિશે જોયુ. તો આ ભાગમાં આપણે દુષ્કૃતગર્હા એટલે શું? એ જાણીએ.

દુષ્કૃતગર્હા સમજ​વા સૌ પ્રથમ આપણે દુષ્કૃત એટલે શું? એ જાણીએ.

દુષ્કૃત એટલે

  • અનાદિકાળથી જીવે બીજા જીવોનું અહિત જ કર્યું છે. એને જ સારુ માન્યું છે, આ દુષ્કૃત છે.
  • દુષ્કૃત એટલે અર્થ અને કામ.
  • અર્થ અને કામ પાછળ જે જીવન વેડફીએ છીએ, જે ઉચ્ચભાવો ને વેડફીએ એ જ દુષ્કૃત.

દુષ્કૃત ને દૂર​ કર​વું એ જ​ દુષ્કૃતગર્હા

જરુર વિચાર થાય કે દુષ્કૃત ને દૂર​​ કેમ કર​વું?

  • દુષ્કૃત ને પ્રણિધાન થી દૂર​ કરી શકાય​.

પણ આ પ્રણિધાન એટલે શું?

  • પ્રણિધાન એટલે મન​-વચન​-કાયા ઓતપ્રોત કરવા. પ્રણિધાનનો બીજો અર્થ છે સંકલ્પ​.

  • તો ચાલો દષ્ટાંતથી જોઇએ, સંકલ્પ કેવો જોઇએ,

  • પાંચ પાંડ​વોની પત્નિ દ્રોપદી. એક વાર નારદ ઘરે આવે છે અને દ્રોપદીએ તેમનો વિનય ના કર્યો અને નારદ ને લાગ્યુ ખોટું.
  • આકાશગામિનિ વિદ્યાથી ધાતકીખંડમાં પહોંચ્યા. ત્યાં પદ્મોત્તર રાજા આગળ દ્રૌપદીના રૂપના ખૂબ વખાણ કર્યા એટલે પદ્મોત્તર રાજા લલચાયો.
  • કોઈ પણ હિસાબે મેળવવી છે. એણે દેવમિત્રની સહાય લીધી. પેલા દેવે દ્રૌપદીને તેના પલંગ સાથે જંબુદ્વિપમાંથી ધાતકી ખંડમાં લાવીને મૂકી દીધી.

  • સવાર પડતાં પાંડવોને દ્રૌપદી દેખાતી નથી. આજુ-બાજુ શોધે છે પણ પત્તો મળતો નથી.
  • કૃષ્ણની સહાય લે છે. આ બાજુ નારદ અહીં આવ્યા.
  • કૃષ્ણે પૂછ્યું,

દ્રૌપદી જોઈ?

  • નારદ કહે,

ધાતકીખંડમાં દ્રૌપદી જેવી જ કોઈ સ્ત્રી હતી ખરી.

  • કૃષ્ણ​ સમજી ગયા કે આ નારદજીનું જ કામ છે.
  • પાંડવોને કહ્યું,

ચાલો આપણે ધાતકીખંડમાં જવું પડશે.

  • કૃષ્ણ દેવની આરાધના કરીને ૨ લાખ યોજનનો પુલ બનાવી ઘાતકીખંડમાં પહોંચ્યાં. અહીં આવીને બધા પદ્મોત્તર રાજાના રાજ્ય બહાર રોકાયા.

  • પાંડવો કૃષ્ણને કહે,

હવે તમે આરામ ફરમાવો. પદ્મોત્તર રાજાને જીતીને અમે દ્રોપદીને લઈ આવીએ છીએ.

  • કૃષ્ણ કહે પણ પેલો બળવાન છે.

  • પાંડવો કહે

કંઈ વાંધો નહિ. કરેંગે યા મરેંગે.

  • દ્રૌપદીને પાછા લઈને જ ફરીશું. સંકલ્પ સાથે નીકળે તો છે પણ આ પાંચ સામે પદ્મોત્તર રાજાનું ખૂબ મોટુ સૈન્ય છે.
  • આ પાંચ ઘણી મહેનત કરે છે પણ રાજાને જીતી શક્તા નથી. વીલા મોઢે પાછા ફર્યા.

  • કૃષ્ણ કહે

મને ખબર જ હતી કે તમે વીલા મોઢે પાછા ફરશો.

  • પાંડ​વો પૂછે,

કેમ?

  • કહે,

તમે ગયા ત્યારે સંકલ્પ જ અધૂરો કર્યો.

  • કરેંગે યા મરેંગે એ અધૂરો સંકલ્પ છે.
  • “કરકે હી રહેંગે” એવો સંકલ્પ જોઈએ. સંકલ્પ જેટલો પ્રબળ તેટલી સિદ્ધિ નિકટ​.

  • તો ચાલો આપણે પણ આપણા દુષ્કૃત દૂર​ કરવાનો સંકલ્પ કરીએ

  • સુકૃતાનુમોદના એટલે શુ? એ વિશે હ​વે આપણે પછી ના ભાગમાં જોઇશુ.



શેર કર​વા નીચે ક્લિક કરો