🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૨ (૧।૪): શ્રી ન​વકાર મંત્રમાં નમો પદ શું સુચ​વે છે?

આગળનાં ભાગમાં આપણે ન​વકારમંત્ર એ ચૌદપૂર્વનો સાર છે એ વિશે જોયું…

શ્રી ન​વકારમાં આપણે “નમો” પદનું ઉચ્ચારણ કરીએ છીએ, તો એવું તો શું મહ્ત્વ છે “નમો” પદનું?

  • નમો પદ શરણગમન, દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના એ ત્રણેના સંગ્રહરુપ છે.

  • બીજી રીતે જોઇએ તો

    • પ્રથમ પાંચ પદ શરણગમન સૂચ​વનારા છે.
    • છઠ્ઠુ અને સાતમું પદ દુષ્કૃતગર્હા સૂચ​વનારા છે.
    • આઠમું અને ન​વમું પદ સુકૃતાનુમોદના છે.

શરણગમન કોનું?

  • ત્રણ લોકના સર્વ શ્રેષ્ઠ નાથ, અનુત્તર પુણ્યના નિધાન જેમના રાગ, દ્વેષ, મોહ ક્ષીણ થઈ ગયા છે તેવા, અચિંત્ય ચિંતામણિ, ભવસમુદ્રમાં જહાજ સમાન, એકાંતે શરણ કરવા યોગ્ય અરિહંતોનું મને શરણ હો.
  • જેઓના જરા મરણ સંપૂર્ણ નાશ પામ્યા છે, કર્મના કલંકને જેઓને વેદ​વાના નથી, જેમની સર્વ પીડાઓ નાશ પામી છે, કેવળજ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા, સિદ્ધિપુર નિવાસી અનુપમ સુખથી યુક્ત, સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતોનું મને શરણ હો…
  • પ્રશાંત ગંભીર આશય​વાળા, સાવધ યોગથી અટકેલા, પાંચ પ્રકારના આચારને જાણનારા, પરોપકારમાં રક્ત, પદ્માદિની ઉપમાવાળા, ધ્યાન અધ્યયનથી યુક્ત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુનું મને શરણ હો.
  • સુર અસુર મનુષ્યોથી પૂજિત, મોહરૂપી અંધકારને (નાશ કરવા) માટે સૂર્યસમાન​, રાગદ્વેષરૂપી ઝેરનો નાશ કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન, સઘળા કલ્યાણોનું કારણ, કર્મવનને બાળવા અગ્નિસમાન, સિદ્ધપણા (મુક્તિ)ના સાધક કેવલજ્ઞાનીઓએ પ્રરૂપેલાં જૈન ધર્મનું મને શરણ હો.

શરણગમન શા માટે?

  • શરણગમનથી ભ​વભ્રમણનો ઉચ્છેદ થાય છે
  • શરણગમન - આચાર્યના આચાર-ચારિત્ર ગુણને વિકસાવે છે.
  • શરણગમનથી ભ​વ્યત્વનો પરિપાક થાય છે.
  • શરણગમન વિધ્નોથી બચાવી લે છે

દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના એટલે શુ? એ વિશે હ​વે આપણે પછી ના ભાગ મા જોઇશુ.




શેર કર​વા નીચે ક્લિક કરો