🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ​:૧૯: કઇ રીતે જાણવું કે આપણું નવકાર સ્મરણ ફળ્યું?

કોઇ એવું માને છે કે, ધંધામાં લાભ, લોકમાં યશ, સારું મકાન…વગેરે પ્રાપ્ત થાય અને તે શ્રી ન​વકાર મંત્રની સાધના કરતા હોય તો તેને એમ થાય છે કે મને શ્રી ન​વકાર મંત્રની સાધના ફળી.

પણ સવાલ એ છે કે આપણે નવકારના ફળ તરીકે આવા બાહ્ય સિદ્ધિને જ માનવું?

  • માત્ર બાહ્ય ફળ એટલે કે ભૌતિક સુખ શ્રી ન​વકાર મંત્રની સાધનાથી મળે એ માનવામાં કેટલીકવાર એવું બને કે પૂર્વનાં કોઇ આપણા તેવાં અંતરાયકર્મ હોય તો શ્રી નવકાર મંત્રની સાધના કર​વા છતા બાહ્ય ફળ ના મળે.
  • તીવ્ર અંતરાયના ઉદયે કાર્ય ન બની આવતા નવકાર પરની શ્રદ્ધા ડગવા માંડે કે નવકાર ગણ્યા પણ કાર્ય ન થયું.

પણ શું માત્ર આ ભૌતિક (મિથ્યા) સુખ માટે જ આપણે શ્રી ન​વકાર મંત્ર ગણ​વાનો છે?

  • ના, શ્રી નવકાર મંત્રનું ફળ તો એવું માનવું કે જે નવકારનાં આલંબને અવશ્ય બની આવે.

તો એવા ક્યા ફળ છે જે શ્રી ન​વકાર મંત્રના આલંબને અવશ્ય બની આવે?

  • આનો જવાબ નવકારના પદોની અંદર જ સ્પષ્ટ મળે છે. “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો.” આ પાંચ નમસ્કાર સમસ્ત પાપોનો અત્યંત નાશ કરનારા છે.
  • અર્થાત પાંચ પરમેષ્ઠિને નમસ્કાર એ સમસ્ત પાપોનો નાશ કરનાર છે.

તો એ “પાપ” ક્યા?

  • જે પાપકર્મ અશુભકર્મ બંધાવે એ પાપ.
  • અશુભ કર્મ બંધાવનારાં પાપ છે: મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કષાયો, અવિરતિ, પ્રમાદ અને હિંસાદિ પાપ-વિચાર-વાણી-વર્તાવ.
  • આ સમસ્ત પાપોનો નાશ એ શ્રી ન​વકાર મંત્રની સાધનાનું ફળ છે.

જ્યારે શ્રી નવકાર મંત્ર​ પોતે જ આ ફળ બતાવે છે

  • તો પછી આપણે એ જ ફળની આકાંક્ષા રાખીએ કે બીજા કોઇ ફળની? અલબત નમસ્કારથી બીજાં લૌકિક ફળ મળે છે ખરાં, પરંતુ એ ઇચ્છવા માંગવા જેવી વસ્તુ નથી.
  • ઇચ્છવા-માંગવા જેવી વસ્તુ આ મિથ્યાત્વ રાગ-દ્વેષાદિનો નાશ છે. માટે પંચપરમેષ્ઠિ નમસ્કારનું એ જ ખરેખરું ફળ માની એની જ કામના-ઝંખના આકાંક્ષા રાખવાની.
  • ધનના ઢગલા કે મોટા રાજ્પાટની સિદ્ધિ મળે કિન્તુ જો આ મિથ્યાત્વાદિ પાપ રહેવાના જ હોય, તો અહીં ઉન્માદ અશાંતિ અને પરલોકે નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ સિવાય બીજું શું જોવા મળે?

બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે છ ખંડનું અને ત્રિપૃષ્ઠ વાસુદેવ પાસે ત્રણ ખંડનું સામ્રાજ્ય હતું, પરંતુ રાગાદિ પાપો જાલિમ ઊભા હતાં, તો મરીને એ સાતમી નરકે ગયા. આવી નરકે લઇ જનારી સિદ્ધિ-સમૃદ્ધિને સાચી સિદ્ધિ-સમૃદ્ધિ શાની કહેવાય? માટે જ​, મિથ્યાત્વ-રાગાદિ પાપ નાશને જ સાચી સિદ્ધિ-સમૃદ્ધિ માની નમસ્કારના ફળમાં એ પાપનાશ જ ઇચ્છવાનો છે.

  • શ્રી નમસ્કાર-મહામંત્રનો પ્રભાવ અચિંત્ય છે, અદ્ભુત છે, મહા-આપત્તિઓનું નિવારણ શ્રી નવકાર મંત્રથી જ​ થાય છે.

  • માટે આપણે એ વિચાર​વું જ રહ્યુ કે શ્રી ન​વકારમંત્રનો જાપ આપણે ભૌતિક સુખ માટે તો નથી કરી રહ્યા ને?…




શેર કર​વા નીચે ક્લિક કરો