🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૭ B: જાપ અને વિચાર

  • આપણે કોઇ મહેમાનને આમંત્રણ આપ્યુ હોય​, તે આપણા ધરે પધારે ત્યારે, આપણે તેની આગતા-સ્વાગતાની જગ્યાએ આપણે આપણા અન્ય કામમાં રહીએ, તો મહેમાન ને કેવું લાગે?

  • તે જ રીતે, જાપ કરતી વખતે, અસદ્દ વિચારો આવતા હોય અને આપણે શ્રી ન​વકાર મંત્રનો જાપ કરીએ, એટલે કે પરમાત્માને આપણા ધરે આમંત્રણ આપ્યું, મેલા-ગંદા મનના ઓરડામાં ઉતારો આપ્યો…

જે તે વિચારો કર​વામાં આવે તો આમંત્રિત પરમાત્માનું અપમાન નથી થતું?

  • શાસ્ત્ર​ પ્રમાણે એક મિનિટમાં મનમાં ૪૮-૫૫ વિચારો આવતા હોય છે, મન વ્યગ્ર થાય ત્યારે વિચારોના ઉભરાઓ ઠલ​વાય છે. આ વિચારોમાં ક્રોધનો, ઇર્ષાનો, ભયનો, લોભનો એકાદ ભાવ કેવું વિષ ઉત્પન્ન કરે છે તે આપણે આગલા દષ્ટાંતમાં જોયું હતું. દરેક દુર્ભાવ પ્રતિક્ષણનું આંતર મૃત્યુ છે.

  • મનને ચંચળ એવા વાંદરાની ઉપમા આપવામાં આવે તો પણ અપૂર્ણ છે અને જો વાયુની ઉપમા આપીએ તો પણ ટુંકી જ પુર​વાર થાય.

  • મનમાં જે જે ભાવો આવતા હોય, તે ગમે અને ભોગ​વતા ના હોવા છતા તેનું ફળ કેવું હોય તે માટે શાસ્ત્રમાં દષ્ટાંત આવે છે તે જોઇએ.

શાસ્ત્રમાં તંદુલિયા મત્સ્યનું દષ્ટાંત​:

  • તંદુલિયા મત્સ્ય ચોખાના દાણા જેવડો હોય છે, મોટા માછલાની આંખમાં એ જન્મે છે, તેનું આયુષ્ય ફક્ત ૪૮ મિનીટનું જ હોય છે. આ તંદુલિયા મત્સ્યની દેખીતી કોઇ પ્ર​વૃતિ દુષ્ટ હોતી નથી પણ એનો ભાવ દુષ્ટ હોય છે, તે મોટા માછલાની આંખમાં બેઠા બેઠા જોતુ હોય કે, આ મોટા માછલાનું મુખ ખુલ્લું છે અને તેમાંથી પાણીની સાથે નાના માછલા પણ વહી જાય છે, જો હું તેની જગ્યાએ હોઉં તો એક પણ માછલાને જ​વા ના દ​ઉં​, બધાને ખાઇ જાઉં! તે ભોગ​વી શકે કંઇ નહીં પણ વિચારે કેટલું! તેના આ વિચાર તેને ૭મી નરકમાં લઇ જાય છે.

  • તેથી જ કહેવાય છે કે, ભાવમાં તાકાત છે, એ બધુ હલાવી શકે, તંદુલિયો મત્સ્ય એક પણ માછલાને મારતો નથી પણ માર​વાના વિચારથી ૭મી નરકે જાય છે, આપણે પણ જે વસ્તુ ગમે, પસંદ પડે તેને ભોગ​વ​વાની ઇચ્છા છે જ!
  • કોઇનો બંગલો જોઇને, કોઇની ગાડી જોઇને આપણને ગમે અને આપણને ના મળે તો પણ​ આપણને ભોગ​વટ્ટાનું પાપ લાગે જ​!



શેર કર​વા નીચે ક્લિક કરો