ભાગ ૧૬B: ધર્મની આરાધના કેવી કરવી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે
જેમ આગળના ભાગમાં આપણે જોયું કે નવકારમંત્ર ના આરાધકે, કેવી ભાવના ભાવવી જોઇએ જેથી ઉતમ ફળ મળે, આ ભાગમાં આપણે જોઇશુ કે નવકારમંત્ર ના આરાધકે, ધર્મની આરાધના કેવી કરવી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે
ધર્મની આરાધના કેવી કરવી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે
કરવા દ્રારા:
- કરવા દ્રારા ધર્મ ઓછો થઇ શકે કારણ કે ધર્મ મહાન છે અને કરનાર પોતે અલ્પ છે, પોતાને જે સાધનો મળ્યા છે તે પણ અતિ અલ્પ છે. અલ્પ સાધનો દ્રારા અનંત એવા ધર્મની પુર્ણ આરાધના શરુઆતમાં થવી શક્ય નથી. પોતે તેને શક્તિ મુજબ જ આચરણમાં લાવી શકે છે.
કરાવવા દ્રારા:
- “બીજા પણ આ સુંદર વસ્તુને કરો” - એવી ભાવનાથી બીજાને પ્રેરીત કરે છે
- ધર્મ ઉપરના પ્રેમને લીધે ધર્મને માટે પોતાની સામગ્રીનો ઉપયોગ કરવાથી એવું શુભાનુબંધી પુણ્ય બંધાય છે કે જન્માંતરમાં તેને ઉત્તમ કુળ, સુદેવ, સુગુરુ, સુધર્મનો યોગ અનાયાસે મળે છે. વર્તમાનમાં જે ઓછાશ હોય તે ઓછાશ ટળી જાય એવી સામગ્રી અને સંજોગો તેને પ્રાપ્ત થાય છે, આ કરાવવા રુપ ધર્મનું ફળ થયુ.
અનુમોદના દ્રારા:
- કરવા દ્રારા ધર્મ શક્તિ મુજબ જ થાય છે.
- કરાવવામાં અનેક ને કરાવી શકાય છે તો પણ એમાં હદ છે.
- એ બધું કર્યુ, કરાવવામાં આવે તો પણ અનુમોદના રુપ ધર્મના સાગરની સામે એક બિંદુ તુલ્ય પણ ના થાય કારણ કે અનુમોદનામાં દેશ, કાળ કે દ્રવ્યનો કોઇ પ્રતિબંધ નથી.
- અનુમોદના વર્તમાનમાં આપણી આજુબાજુ થતા ધર્મની થઇ શકે તેમ ભુતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મની પણ થઇ શકે,
- અનાદિ કાળથી સર્વ ક્ષેત્રોમાં ધર્મ આરાધાતો આવ્યો છે. તેમાં પરિપૂર્ણ ધર્મ સાધનારા પણ અનંત આત્માઓ થયા છે તે બધાની ધર્મોની આરાધના અનુમોદના સિવાય બીજી રીતે થવી શક્ય નથી. આ બધાના ધર્મનો સરવાળો અનંત અનંત થઇ જાય છે.
- અનુમોદનાથી જીવનું શુભપુણ્ય એટલું બધું વધી જાય છે કે તે પોતે આજે એક બિંદુ સ્વરૂપ છે, પણ અનુમોદનારૂપ ધર્મમાં ભળી જવાથી અનંત સાગરસ્વરૂપ બની જાય છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶