🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૬A: ન​વકારમંત્રના આરાધકે ઉત્તમ ફળ મેળવવા કઇ ભાવના ભાવવી?

આગળના ભાગમાં આપણે શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય? એ વિશે જોયું…

ન​વકારમંત્રના આરાધકે ઉત્તમ ફળ મેળવવા કઇ ભાવના ભાવવી?


મૈત્રીભાવ:

  • સર્વ જીવો સાથે મૈત્રીભાવ નહીં કેળ​વનાર આત્મા માત્ર પોતાનો જ વિચાર​, પોતાની સુખ​-સગ​વડનો વિચાર તેમજ પોતાના દુ:ખોની ગુંચમાંથી ઉંચો નથી આવતો, પરિણામે, દુનિયાની સઘળી સારી ચીજો પ્રતિ મમતા, તૃષ્ણા, મેળ​વ​વાની લાલસા હૈયામાં તીવ્ર ખળભળાટ ઉભો કરે છે અને કોઇ બીજાને ઉત્તમ ચીજો મળે તો તેની ઇર્ષ્યા થાય છે.
  • પણ મૈત્રીભાવના વિકાસથી પોતાની જાતને સુખી કર​વાના વિચાર ગૌણ બની દુનિયાના અન્ય લોકો પણ સુખી થાય એ વિચાર અતૃપ્તિ અને ઇર્ષ્યાની આગમાંથી બચાવે છે.

પ્રમોદભાવ:

  • મને જેમ સુખ વહાલું છે તેમ બીજાઓ ને પણ આ સુખ મળ​વાથી કેટલી શાંતિ થતી હશે, બીજા જીવોની સુખી અવસ્થા જોઇ આપણે પણ આનંદિત થઇએ.
  • ગુણિયલ જીવોના ગુણોની અનુમોદના સતત વધ​વાથી આપણામાં ગુણાનુરાગ પ્રબળ થાય છે.

કરુણા:

  • મૈત્રીભાવમાંથી જગતના પ્રાણી માત્રના દુ:ખો દુર થાઓ, યથાશક્ય રીતે દુનિયાના જીવો ના દુ:ખને દુર કર​વાના પ્રયત્નો તથા આપણાથી તેઓને દુ:ખ ન થાય તેવો પુરુષાર્થ કર​વા રુપે કરુણાભાવના આપણા જીવનમાં અપનાવ​વી જોઇએ.
  • કરુણાના વિકાસ માટે પરોપકાર​, સ્વાર્થત્યાગ​, દયા, ઉદારતા, આદિ ગુણોના વિકાસની ખાસ જરુર છે. કરુણાના ૨ ભેદ છે:
    • દ્ર​વ્ય કરુણા:
      • આહાર, વસ્ત્ર, દ​વા આદિથી તાત્કાલિક રાહત પહોંચાડ​વી.
    • ભાવ કરુણા:
      • દુખિયા જીવો ના દુ:ખોને ઉપજાવનાર વિષમ પાપકર્મોના બંધનમાંથી તેઓ મુક્ત થાય એ માટેની ભાવના અને એને અનુરુપ ઉપદેશ સમજાવટ​ આદિ દ્રારા પાપ પ્ર​વૃતિમાંથી બચાવી સન્માર્ગે ચઢાવા, જેથી તેઓ ના દુ:ખ નો કાયમી નાશ થાય​.
      • જીવ માત્ર પ્રત્યે દ્ર​વ્ય કરુણા ક્યારેય પણ ભાવ કરુણા વગરની ના થ​વી જોઇએ.

માધ્યસ્થભાવ​:

  • જગતના જીવોમાં કેટલાક મૂઢ જીવો એવા પણ હોય છે કે જેમને પોતાના દુર્ગણોનું ભાન ન હોય - ભાન હોય છતાં કદાચ તે દુર્ગુણોની પકકડમાંથી છૂટે તેવા ન હોય.
  • એવા જીવોને જોઈ સહજ રીતે મનમાં રોષ પ્રગટે તે રોષ ન પ્રગટવા દેવો અને જીવ કર્માધીન છે.
  • એ બિચારો કર્મસત્તાથી જકડાયેલ છે.
  • બિચારાને સદબુદ્ધિ થાઓ, એનાં દુષ્કર્મોનો નાશ થાઓ એવી જાતની વિચારણાથી સાધનાપંથે ચાલનારા પુણ્યાત્મા બીજાના દુર્ગુણોની પંચાતથી પોતાનું ગુમાવતા નથી.
  • આ જાતની મનોવૃત્તિની કેળવણી તેનું નામ માધ્યસ્થ ભાવના.



શેર કર​વા નીચે ક્લિક કરો