ભાગ ૧૩: નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખવાની બાબતોે
આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર જાપ વિધિ વિશે જોયું…
નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખવાની બાબતોે
- આરાધકે ઉણોદરી વ્રતનું પાલન કરવું જોઈએ.
- તીખા તમતમતા તેમજ તળેલા અને બળેલા ખોરાક વાપરવાથી સંયમ અને સ્વાધ્યાયમાં અસ્થિરતા આવે છે, તેથી આવા પદાર્થો નહીં વાપરવાનો નિયમ આરાધકે રાખવો.
- આરાધકે ક્ષારવાળી વસ્તુઓ તેમ જ મેંદાની વાનગીઓના ત્યાગનો નિયમ લેવો.
- જ્ઞાનતંતુઓ પર પ્રતિકૂળ અસર કરનારા ચા, કોફી, કોકો વગેરે માદક પીણાઓનો ત્યાગ કરવો.
- આરાધકને કન્દમૂળ, અથાણાં તેમ જ બહુબીજવાળી વનસ્પતિ વગેરે જીવનભર ન વાપરવાનો નિયમ હોવો જ જોઈએ.
- અભક્ષ્ય પદાર્થોના સેવનથી બુદ્ધિની સાત્ત્વિકતા ઘટે છે અને વિકૃતિ વેગપૂર્વક વધતી રહે છે, તેથી ત્યાગ કરવો જોઇએ.
- રાત્રી ભોજન ન કરવું.
- ભોજન સમયે ચિત્ત સહેજ પણ ઉદ્વિગ્ન ન રહે તેનું ધ્યાન રાખવું
- અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના પરિમાણરૂપ પંચશીલનું તે મન-વચન-કાયાથી પાલન કરે, કરાવે તેમ કરનારની અનુમોદના કરે.
- જો બિયાસણા કરવામાં આવે તો રાત્રી ભોજન, અભક્ષ, સચિત વસ્તુઓનો ત્યાગ, વગેરે બંધ થઇ જાય છે.
- પ્રાણીમાત્ર પર મૈત્રી, દયાભાવ અને પરમાર્થવૃત્તિ રાખવી.
- ગુણપ્રાપ્તિ માટે ગુણવંતોની ભકિત કરવી.
- વિનય, વિવેક અને નમ્રતા જીવન સાથે વણી લેવાં.
- વ્યવહારમાં પણ સૌજન્યવૃત્તિ જાળવવી.
- જાપ સાથે આવશ્યક ક્રિયાઓ, પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિ વ્યવસ્થિતપણે સમયસર કરવા આગ્રહ રાખવો.
હવે પછીના ભાગમાં આપણે નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે? એ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶