🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૨: નમસ્કાર મહામંત્ર જાપ વિધિ

આગળના ભાગમાં આપણે શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર અને જાપ કર​વાની રીત વિશે જોયું…

  • વિધિ પૂર્વક કરેલો મંત્રનો જાપ અવશ્ય ફળદાયી બને છે.
  • શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના ત્રણ પ્રકારે બતાવવામાં આવેલ છે

ઉત્કૃષ્ટ આરાધના


ઉપધાન એટલે વિશેષ પ્રકારનો તપ

  • શ્રી ઉપધાન તપનું પ્રથમ અઢારીયું આ પ્રમાણે કરાય છે
  • ૧૮ દિવસ અહોરાત્રિ પૌષધવ્રત​ સાથે અખંડ ઉપધાન તપ
  • ૩૬૦૦૦ નવકાર મંત્રનો જાપ​
  • ૧૮૦૦ લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ અને ખમાસમણાં
  • ૯ ઉપવાસ અને ૯ નીવી (એકાસણાં) (મૂળવિધિ પ્રમાણે ૫ ઉપવાસ, પછી ૮ આયંબિલ અને ૩ ઉપવાસ)

ઉપધાન તપની મહત્તા અને પવિત્રતા

  • કોઈપણ શ્રુતને ગ્રહણ કરવા માટે કરાતો વિશિષ્ટ તપ, તેને ઉપધાન કહેવામાં આવે છે. અર્થાત્ જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય, તે ઉપધાન.
  • શ્રી ગુરુભગવંત સમીપે વિધિપૂર્વક તપશ્ચર્યા કરી શ્રી શ્રુત ગ્રહણ કરી ધારવામાં આવે, તે પણ ઉપધાન કહેવાય છે.
  • ૧૮ દિવસ પછી ગુરૂ મુખે ન​વકાર ગ્રહણ કર​વા.

પ્રથમ ઉપધાન (માળારોપણ વાળા) માં કરાતી આરાધનાની ટુંકી નોંધ​

  • ૧ લાખ શ્રી નવકાર મંત્રનો જાપ
  • ૭ હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ​
  • દોઢેક હજાર વાર શ્રીનમુત્થુણં (શક્રસ્તવ)નો પાઠ
  • ૪૭ દિવસ સુધી અહોરાત્ર પૌષધની આરાધના
  • હજારો ખમાસમણાં
  • ૨૧ ઉપવાસ, ૧૦ આયંબિલ અને ૧૬ નીવિ

મધ્યમ આરાધના


  • શુભ દિવસે શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કરવો.
  • તેમાં ૧૮ દિવસ સુધી સળંગ​ ખીરનાં એકાસણાં અથવા ૧૮ આયંબિલ કરવાં.
  • તે દિવસો દરમિયાન એક શ્રી નવકાર મંત્ર ગણી એક સફેદ​ ફુલ​ પ્રભુજીને ચઢાવવા પૂર્વક દરરોજના ૫ હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
  • ૧૮ દિવસ દરમિયાન એક લાખ શ્રી નવકારમંત્રનો જાપ પૂર્ણ કરવો.

જઘન્ય આરાધના (લઘુ આરાધના વિધિ)


  • ૯ દિવસ ખીરનાં એકાસણાં કરવા પૂર્વક દરરોજ બે હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
  • તે દિવસો દરમ્યાન સતત પરમાત્મધ્યાનમય બનવું.

હ​વે પછીના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતો વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો