🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૧: શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર​, જાપ કર​વાની રીત​ અને નમસ્કાર

આગળના ભાગમાં આપણે જોયું કે શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?

શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર​ અને જાપ કર​વાની રીત​

જાપના પ્રકાર​:

  • માનસ જાપ:
    • સહજભાવે હોઠ બંધ રહેવા જોઈએ તેમ જ દાંત એક બીજા ને ન સ્પર્શે તેમ રહેવા જોઈએ.
    • મનમાં જાપ કર​વો તે શ્રેષ્ઠ છે.
  • ઉપાંશુ જાપ:
    • હોઠનો ફફડાટ વ્યવસ્થિત રાખ​વા સાથે, બીજા ને ના સંભળાય તે રીતે મૌન પુર્વક જાપ કર​વો.
    • આ જાપ મધ્યમ જાપ કહેવાય.
  • ભાષ્ય જાપ:
    • તાલબદ્ધ શુદ્ધ ઉચ્ચાર સાથે, બીજા સાંભળી શકે તે રીતે બોલીને જાપ કર​વો તે.
    • પોતાના કાર્યો માટે ઉપયોગી જાપ કહેવાય​.

જાપ કર​વાની રીત​:

  • પૂર્વાનુપૂર્વી:
    • ક્રમ પ્રમાણે પદ ગણવાં. દા.ત. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં ઈત્યાદિ…
  • પશ્ચાનુ પૂર્વી:
    • ઉલટા ક્રમથી ગણવું અર્થાત ઉત્ક્રમથી ગણવું. તે બે પ્રકારે ગણાય છે.:
      • પદના ઉત્ક્રમથી અને
      • અક્ષરના ઉત્ક્રમથી.
      • દા.ત.
        • પદનો ઉત્ક્રમ: પઢમં હવઈ મંગલં, મંગલાણંચ સવ્વસિ… ઈત્યાદિ,
        • અક્ષરનો ઉત્ક્રમ: લંગમંઈવહ મંઢપ… સિંવ્વેસ​ ચ ણંલાગમં ઈત્યાદિ
  • અનાનુપૂર્વી:
    • પદ્ધતિ વિશેષથી ગોઠવીને ગણાય તે. દા.ત. ૮ આંક હોય ત્યાં સવ્વપાવપણાસણો, ૨ અંક હોય ત્યારે નમો સિદ્ધાણં.
  • નમસ્કારમંત્રને બધો વખત સ્મર​વો જોઇએ.
    • ભોજન સમયે,
    • શયન સમયે,
    • જાગ​વાના સમયે,
    • પ્રવેશ સમયે,
    • ભય સમયે,
    • કષ્ટ સમયે,
    • અને સર્વ સમયે નમસ્કાર મહામંત્રને સ્મર​વો જોઇએ.
  • અહીં એ ધ્યાનમાં રાખ​વાનું છે કે, શય્યામાં બેસીને નમસ્કાર મંત્રનો પ્રકટ ઉચ્ચાર કર​વાથી નમસ્કારમંત્રનો અવિનય/આશાતના થાય.
  • એટલે તેનું સ્મરણ મનથી કર​વું જોઇએ.
  • પ્રકટ ઉચ્ચાર કરતા બીજાને વિક્ષેપ કરે તો તે દોષના ભાગીદાર આપણે થઇએ છીએ. તેથી તે સ્મરણ મનથી જ કર​વું યોગ્ય છે.

શ્રી ન​વકારની બહાર જન્મ​, જરા અને મૃત્યુ છે.

શ્રી ન​વકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.




શેર કર​વા નીચે ક્લિક કરો