🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧: નમસ્કાર મહામંગલ સૂત્રનો પરિચય

નમસ્કાર મહામંગલ સૂત્ર એ નમસ્કાર મંત્ર, નવકાર મંત્ર અથવા નમોક્કાર મંત્રથી પણ જાણીતું છે.

  • જૈન ધર્મમાં ઊંડો આદરભાવ સૂચવતા આ સૂત્રમાં પાંચ મહાન વિભૂતિઓના ગુણોને પ્રાર્થના દ્વારા વંદન કરવામાં આવે છે:
    • અરિહંત - અંતરંગ શત્રુ ને નાશ કરનાર અને માનવ જાતને બોધ આપનાર)
    • સિદ્ધ - મુક્ત આત્મા
    • આચાર્ય - જૈન ચતુર્વિધ સંઘના વડા
    • ઉપાધ્યાય - સંયમી તત્વજ્ઞ અને શિક્ષક
    • જગતના સર્વ સાધુઓ તથા સાધ્વીઓ - જેઓ પાંચ મહાવ્રતો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળે છે.
  • તેઓ તેમની આચારક્રિયા આ પાંચે વ્રતો જળવાય એ લક્ષમાં રાખીને કરે છે.
  • તેમના વિચારમાં અનેકાંતવાદ વર્તે છે.
  • આ મહાન વિભૂતિઓ તેમના સદગુણોને લીધે ઓળખાય છે અને પૂજાય છે, નહીં કે તેમની વ્યક્તિગત ઓળખને લીધે.
  • આમ જગતના તમામ સાચા આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સાધુ મહાત્માઓ ને અહીં વંદન કરવામાં આવે છે

નવકારવાળીના ૧૦૮ મણકા શા માટે?

  • જૈન નવકારવાળીના ૧૦૮ મણકા પાંચ મહાન પદોના ગુણોનું પ્રતીક છે.

    • અરિહંતના - ૧૨ ગુણો
    • સિદ્ધના - ૮ ગુણો
    • આચાર્યનાં - ૩૬ ગુણો
    • ઉપાધ્યાયના - ૨૫ ગુણો
    • સાધુના - ૨૭ ગુણો
  • આમ આ બધા ગુણોનો સર​વાળો, ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭ =‌ ૧૦૮, તેથી નવકારવાળીમા ૧૦૮ મણકા હોય છે…

  • નમસ્કાર મહામંગલના નવ પદો છે, પહેલા પાંચ પદોમાં પાંચ પૂજનીય વ્યક્તિઓને પ્રણામ કરવામાં આવે છે અને બાકીના ચાર પદો પ્રણામનું મહત્વ સમજાવે છે.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો